← બધા કીર્તન

ધન્ય એકાદશી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

એકાદશીનું ર્વત ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજસુખ પામીએ

મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ઘ્યાન હરિંનું ઘરવું છે,

મારે વ્રજમપ જઈને વસવું છે - ધન્ય

એકાદશીનુ વ્રત સારુ છે, એ તો પ્રાણજીવનને પ્યારુ છે,

એ તો વ્રજમાં લઈ જનારુ છે - ધન્ય

જે કોઈ બારે માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી,

નહી કરશે તે જશે હાથ ધસી - ઘન્ય

મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમના જલમાં નહાવું છે,

મારે ભવસાગર તરી જાવું છે - ધન્ય

જેણે એકાદશીના વ્રત કીઘા છે, તેના સકળ પદારથ સીઘા છે,

તેને પ્રભુએ પોતાના કરી ઘા છે - ધન્ય

અંબરિષે એ વ્રત કીધા છે, દંડ દુર્વાસાને દીધા છે,

રસ 'કલ્યાણરાયે' પીધાં છે - ધન્ય

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.