શ્રી મહારાણીજીના પાન
કીર્તનના શબ્દો
શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
એ છે અધમ ઉધ્ધારણ જાણી - શ્રી મહારાણીજીના
એમનું માહાત્મ્ય છે પદ્મ પુરાણે રે
પૃથ્વી ૫૨ શ્રી વરાહજી વખાણે ૨ે,
એતો વ્રજવાસી સુખ માણે - શ્રી મહારાણીજીના
સુંદર મથુરાજી નિકટ બિરાજે રે,
મંદ મંદ મહા ઘુનિ ગાજે રે,
એમના દર્શનથી દુ:ખ ભાજે - શ્રી મહારાણીજીના
વિશ્રામ ઘાટે-તે આરતિ થાય રે,
સામા પ્રભુજીના મુફુટ બિરાજે રે,
ચોબા હાથીની ગર્જનાએ આવે - શ્રી મહારાણીજીના
ત્યાં તો વૈષ્ણ્વની ભીડ ભરાય રે,
ત્યાં તો આરતિ ઘોળ ગવાય રે,
ત્યાં તો જય જય શબ્દ ઊચારે - શ્રી મહારાણીજીના
એમના સ્મરણથી સુખ થાય રે,
તેહના સ્મરણથી પ્રાયશ્ચિત દુર પળાયરે,
જેમ સિંહ દેખી મૃગ નાસે - શ્રી મહારાણીજીના
જે કોઈ પયપાન શ્રી યમુનાના કરશે રે
તેનો યમ કિંકર ભય ટળશે રે
કહે છે ‘રસિક' રાધા વરને વરશે - શ્રી મહારાણીજીના